Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં નવા બસ સ્ટેશનનું રાજ્યમંત્રી પટેલના હસ્તે ખાતમુહુર્ત

વઢવાણ,તા.૧૫: સુરેન્દ્રનગર જિલ્લામાં થોડા માસ પહેલા બસ સ્ટેન્ડ નું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું.ત્યારે થોડા માસ આગાવ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ભાવનગર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા સહિતના રાજયના વિવિધ ૨૧ બસ સ્ટેશનોના ઈ-લોકાર્પણ અને ૩ બસ સ્ટેશન અને ૨ સ્ટાફ કોલોનીના ખાતમુહુર્તનો કાર્યક્રમ ગઇ કાલે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નું ખાત મહુર્ત કરવા માં આવ્યુ હતુ.

રાજયના વાહન વ્યવહાર રાજયમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે સુરેન્દ્રનગર ખાતે અંદાજીત રૂપિયા ૮.૮૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન બસ સ્ટેશનનું સવારે ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના સંસદ ડો. મહેન્દ્ર મુજપરા , ધારાસભ્ય ધાનજીભાઈ પટેલ , નગરપાલિકા પ્રમુખ વીપીન ટોળીયા અને અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થતી રહ્યા હતા. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડનું આજે કામ શરૂ કરવા માં આવતા સુરેન્દ્રનગરની જનતામાં આનંદની લાગણી વ્યાપી હતી.ત્યારે કામ ચલાવ સામે બસ સ્ટેન્ડ ખસેડવા માં આવીયું છે.

(1:09 pm IST)