Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

જામનગર પત્રકાર મંડળનું પારિવારિક સ્નેહ મિલન સંપન્ન

જામનગર, તા.૧૫: જામનગર શહેર માં પત્રકારો ની સૌથી જૂની સંસ્થા જામનગર પત્રકાર મંડળનું પારિવારિક સ્નેહ મિલન તપોવન ફાઉન્ડેશન સંચાલિત વાત્સલ્ય ધામમાં યોજાયું હતું.ઙ્ગ

દીપોત્સવી અને નુતનવર્ષ પર્વની શુભેચ્છાની આપલે કરી પારિવારિક સંબંધો ને સુદ્રઢ બનાવવાના ઉદેશ સાથે યોજાયેલા આ સ્નેહ મિલન માં પત્રકાર મંડળ ના સભ્યએ પરિવાર સાથે બહોળી સંખ્યા માં ભાગ લીધો હતો અને વાત્સલ્ય ધામ ના વડીલો સાથે સ્નેહ મિલન ઉજવવાનો એક અનોખો અને અદભૂત અનુભવ મંડળ ના સભ્યઓ અને તેના પરિવાર જનો એ અનુભવ્યો હતો અને એ પણ પ્રકૃતિ અને સ્નેહ ના સંબંધો સાથે.ઙ્ગ

 સ્નેહ મિલન બાદ આજ સ્થળે મંડળ ના પ્રમુખ સંજય મગનલાલ જાની ની અધ્યક્ષતામાં મંડળની સામાન્ય સભા પણ યોજાઇ હતી.

મંડળના અન્ય હોદેદારો ઉપ પ્રમુખ મધુસૂદન ભટ્ટ મંત્રી ભરત રાવલ તથા ટ્રેઝરર પરેશ શારદા પણ ઉપસ્થિત રહ્યા હતા આ તકે મંડળ ના સ્થાપક સભ્ય પૈકી ના વરિષ્ઠ પત્રકાર બીપીનભાઈઙ્ગસુખપરિયા ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુંઙ્ગ મંડળ ના સભ્યો એ ભાવિ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરી હતી.ઙ્ગ ઙ્ગ

સામાન્ય સભા બાદ મંડળની કારોબારીની બેઠક યોજાઇ હતી જેને પરિવાર ના સભ્યો એ વાત્સલ્ય ધામ માં રહેતા વડીલો સાથે સમય પસાર કરી તેમની સાથે સુખ દુખ ની વાતો કરી હતી વાત્સલ્ય ધામ અંગે અને વડીલો ની દિનચર્યા અને ટ્રસ્ટી પરેશભાઈ જાની એ માહિતી પૂરી પાડી હતી મંડળ ના સ્નેહ મિલન માટે હોદેદારો એ તપોવન ફાઉન્ડેશન નો સહકાર મળવા બદલ તેમના સ્થાપક રાજનભાઈ જાની અને પરેશભાઈ જાની પ્રત્યે આભાર ની લાગણી વ્યકત કરી હતી

(1:04 pm IST)