Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

રવિવારે સિદસર ખાતે સ્નેહમીલન-ધ્વજારોહણ-વડીલ વંદના

સિદસર મંદિરના દાતા ટ્રસ્ટીઓનું અભિવાદનઃ સવા કરોડનું દાન આપનાર દિલીપભાઇ ધરસંડીયાનું સન્માન : જેરામભાઇ વાંસજાળીયા અને મૌલેશમાઇ ઉકાણી ૫રિવાર દ્વારા ધ્વજારોહણઃ ઉમા ભવનના દાતા જીવતભાઇ ગોવાણીનું સન્માન

રાજકોટઃ તા.૧૫, કડવા પાટીદાર સમાજની આસ્થા અને ભકિતના કેન્દ્ર સમા ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે આગામી તા. ૧૪ ને રવિવારના રોજ સૌરાષ્ટ્રભરના પાટીદાર શ્રેષ્ઠીઓ, સામાજીક અગ્રણીઓનું સ્નેહમિલન યોજાશે. આ સ્નેહમિલન પ્રસંગે ધ્વજારોહણ ઉત્સવ,  વડીલવંદના, સિદસર મંદિરના દાતા ટ્રસ્ટીઓનું સન્માન, ઉમાભવનના દાતાઓનું સન્માન- અભિવાદન  કરાશે.

મા ઉમિયાના પવિત્રધામ સિદસર ખાતે આગામી રવિવારે બપોરે ૩ કલાકે યોજાનાર નૂતનવર્ષ સ્નેહમિલન પ્રસંગે સૌરાષ્ટ્રભરના પાટીદાર શ્રેષ્ઠીઓ, સામાજીક અગ્રણીઓ ઉપરાંત બરોડા, સુરત, મુંબઇ, નવસારી, ચીખલી, પુના સહીત સમગ્ર ગુજરાતમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સ્નેહમિલન પ્રસંગે આણંદબાવા સેવા સંસ્થાન જામનગરના મહંતશ્રી પૂ. દેવપ્રસાદજી મહારાજ આર્શીવચન પાઠવશે. સમારોહના અધ્યક્ષ તરીકે ઉમિયાધામ સિદસરના પૂર્વ પ્રમુખ ડો. ડાયાભાઇ કે. પટેલ, મુખ્ય મહેમાન તરીકે શ્રી ઉમિયા માતાજી મંદિર ગોરેગાંવ-મુંબઇના ચેરમેન નારણભાઇ ગણેશભાઇ પટેલ, ટ્રસ્ટી મંગલભાઇ ગણેશદાસ પટેલ, મેનેજીંગ ટ્રસ્ટી રમેશભાઇ હરગોવનદાસ પટેલ તેમજ અતિથિવિશેષ તરીકે ઉમિયાધામ નાગપુરના પ્રમુખ જીવરાજભાઇ રતનશીભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.

 આ સ્નેહમિલન પ્રસંગે યોજાનાર વડીલવંદના કાર્યક્રમમાં મંદિર સંસ્થાનોમાં સેવા આપનાર મંદિરના મહારથીઓ  વડીલો સ્વ. મોહનભાઇ નરશીભાઇ માકડીયા, સ્વ. ઓધવજીભાઇ રવજીભાઇ ભાલોડિયા, સ્વ. રવજીભાઇ ધનજીભાઇ માકડિયા, સ્વ. રાધવજીભાઇ પરબતભાઇ ભાલોડિયા, સ્વ. પ્રેમજીભાઇ ડાયાભાઇ ફળદુ, ડો. ડાયાભાઇ કાનજીભાઇ ઉકાણી, સ્વ. વિઠ્ઠલભાઇ પ્રેમજીભાઇ કાલરિયા, શ્રી પોપટભાઇ નરશીભાઇ કણસાગરા, સ્વ. મોહનભાઇ જગજીવનભાઇ ભાલોડીયા, શ્રી મોહનભાઇ કરમશીભાઇ વાછાણી, સ્વ. વાલજીભાઇ જગજીવનભાઇ ભાલોડિયા, શ્રી મોહનભાઇ નાથાભાઇ રતનપરા, સ્વ. વિઠ્ઠલભાઇ પંચાણભાઇ સીણોજીયા, શ્રી મોહનભાઇ લાલજીભાઇ પટેલ, સ્વ. રવજીભાઇ બાવનજીભાઇ ઝાલાવડીયા, શ્રી ડાયાભાઇ રતનશીભાઇ ફળદુ, સ્વ. ગાંગજીભાઇ દેવશીભાઇ ધોડાસરા, શ્રી હીરાભાઇ મોહનભાઇ પટેલ, સ્વ. વિઠ્ઠલભાઇ રામજીભાઇ વાછાણી, ડો. લક્ષ્મણભાઇ પ્રેમજીભાઇ સવસાણી, સ્વ. મોહનભાઇ નાથાભાઇ કાલરીયા, સ્વ. દેવદાસભાઇ રત્નાભાઇ અમૃતિયા, સ્વ. ગોપાલભાઇ છગનભાઇ જાગાણી, સ્વ. છગનભાઇ કુરજીભાઇ માકડીયા, સ્વ. પરસોતમભાઇ ડાયાભાઇ કંટેસરીયા, સ્વ કલ્યાણજીભાઇ રતનશીભાઇ મલ્લી, સ્વ. રવજીભાઇ વાલજીભાઇ કડીવાર, સ્વ. બાવનજીભાઇ નાગજીભાઇ મલ્લી, સ્વ. નાથાભાઇ કલ્યાણજીભાઇ મકવાણા, સ્વ. છગનભાઇ નાગજીભાઇ મલ્લી, સ્વ. બાબુભાઇ ગોવિંદભાઇ માકડીયા, સ્વ. બચુભાઇ દેવશીભાઇ કાલરિયા સહીતના વડીલોનું સન્માન કરવામાં આવશે.

 નવલા નૂતનવર્ષ જગત જનની મા ઉમિયાના પવિત્રધામ સિદસરના ઉન્નત શિખર ઉપર ધ્વજારોહણની પુનીત પરંપરા અન્વયે જેરામભાઇ વાસંજાળીયા તથા મૌલેશભાઇ ઉકાણી પરિવાર તરફથી ધ્વજાજી ચડાવવામાં આવશે. આ ધ્વજારોહણ ઉત્સવમાં સહભાગી થવા જેરામભાઇ વાંસજાળીયા, પરસોતમભાઇ વાંસજાળીયા, નારણભાઇ વાંસજાળીયા તેમજ ઉકાણી પરિવારના લાભુબેન તથા ડો. ડાયાભાઇ ઉકાણી, અમીતાબેન તથા નટુભાઇ ઉકાણી, સોનલબેન તથા મૌલેશભાઇ ઉકાણી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

 સિદસર ખાતે યોજાનાર આ સ્નેહમિલન પ્રસંગે સિદસર મંદિરના નવનિયુકત થયેલા દાતા ટ્રસ્ટીઓ જેરામભાઇ વાંસજાળીયા, નાથાભાઇ કાલરીયા, મુળજીભાઇ ભીમાણી, જગદીશભાઇ કોટડીયા, રમેશભાઇ રાણીપા, દિનેશભાઇ દેલવાડિયા, જગદીશભાઇ વરસમોરા, પ્રભુદાસભાઇ ભેંસદડિયા, નિતીનભાઇ ફળદુ, જયવંતભાઇ ફીણાવા, હરેશભાઇ પરવાડિયા, નરેન્દ્રભાઇ વિરમગામાનું સન્માન કરવામાં આવશે. ઉમિયા માતાજી મંદિર નવનિર્માણનિધી દાનભેટ યોજનામાં રૂ. ૧ કરોડ રપ લાખની માતબાર રકમનું દાન આપનાર દિલીપભાઇ ધરસંડીયા તથા પરિવાર તેમજ રાજકોટ ખાતે નિર્માણાધીન ઉમાભવનના મુખ્ય દાતા તરીકે  રૂ. અઢી કરોડની માતબાર રકમનું દાન આપનાર જીવનભાઇ ગોવાણીનું આ સ્નેહમિલન પ્રસંગે સિદસર ના હોદેદારો દ્વારા સન્માન કરવામાં આવશે. ઉમાભવનના નિર્માણમાં સહયોગી દાતાઓ તરીકે ડાયાભાઇ ઉકાણી, મગનભાઇ પટેલ, પાટીદાર આઇ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર, નાનજીભાઇ સંતોકી, સ્વ. ઠાકરશીભાઇ નરશીભાઇ ધમસાણીયા (સંજય ઓઇલ કેક), કાંતીભાઇ માકડીયા, વલ્લભભાઇ કનેરીયા, જેરામભાઇ વાંસજાળીયા, નાથાભાઇ કાલરીયા, સંજયભાઇ કોરડીયા, કરશનભાઇ આદ્રોજા, ધીરજભાઇ ડઢાણીયા, સ્વ. જમનાદાસ દલસાણીયા પરિવાર, સ્વ. રાધવજીભાઇ સંતોકી પરિવાર વગેરેનું સન્માન કરવામાં આવશે.

(11:59 am IST)