Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

જસદણના આંબરડી વડોદ સહિતના ગામોમાં સિંહ પરિવારના ધામાં બે વાછરડીઓનું મારણ

જસદણ તા. ૧પઃ જસદણનાં આંબરડી અને વડોદ ગામની સીમમાં મધ્યરાત્રીએ સિંહ પરિવારએ દેખા દેતાં સીમના ખેતર-વાડીમાં કામ કરતાં લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલ-જસદણ પંથકમાં માવઠાના જોર સાથે મગફળી અને કપાસની સીઝન હોવાથી લોકો અને મજુરો ખેતરવાડીમાં કામ કરી રહ્યાં હોય છે ત્યારે મધ્યરાત્રિએ અચાનક સિંહ પરિવારએ દેખા દેતાં અને બે વાછરડીઓનું મારણ કરતાં આંબરડી ગામના સામાજિક યુવા કાર્યકર હરજીભાઇ લામકાએ વનતંત્રને કરતાં કર્મચારીઓ આંબરડી પહોંચી ત્યાં તેમણે વડોદ ગામે સિંહ પરિવાર પહોંચ્યો હોવાની વાત-ચાલી રહી છે. આંબરડી ગામની સીમમાં આવેલ પરશોત્તમભાઇ પટેલની વાડીમાં દાનાભાઇ પુંજાભાઇ ગમારાની બે વાછરડીઓનું મારણ કર્યું હતું. ખેડુતો અને ખેત મજુરો ખેતરવાડીમાં જતાં પણ ડર અનુભવી રહ્યાં હતાં ત્યારે વનતંત્ર આ બાબતે સિંહ પરિવારને પીંજરે પુરે એવી વ્યાપક માંગણી ઉઠવા પામી છે.

(11:55 am IST)