Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

કાલે ગોંડલમાં ફ્રી સર્વરોગ હોમિયોપેથી નિદાન કેમ્પ : ડો.શ્વેતા દવે સેવા આપશે

દવા પણ વિનામૂલ્યે અપાશે : દર સોમથી શુક્ર રાજકોટમાં સેવા

રાજકોટ : સેવા નિધિ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી તેમજ શ્રી કે.કે. મુનસીફના સૌજન્યથી સર્વરોગ હોમિયોપેથી નિદાન કેમ્પ આવતીકાલે તા.૧૬ના શનિવારે સવારે ૧૦:૩૦ થી ૨ સુધી શ્રીમતી શારદા જહાટકીયા હોસ્પિટલ, ગોંડલ ખાતે રાખેલ છે. નામ નોંધાવવા માટે ફોન - ૨૪૦૪૦૭ ઉપર સંપર્ક કરવો.

આ કેમ્પમાં ચામડીના રોગ, સાંધાની તકલીફો, પેટની તકલીફો, માનસિક રોગ, બાળકોના રોગ, કિડનીના રોગ, મગજને લગતી તકલીફો, લાઈફ સ્ટાઈલ ડીસઓર્ડરનું ડો. શ્વેતા દવે દ્વારા નિદાન કરી હોમિયોપેથીક દવા વિનામૂલ્યે આપવામાં આવશે.

તેઓ દર સોમથી શુક્ર ૧૦૧, નક્ષત્ર-૫, સાધુ વાસવાણી રોડ, રાજકોટ સવારે ૧૧ થી ૨, બપોરે ૬ થી ૮ સેવા આપશે. દર શનિવારે ગોંડલ ખાતે શ્રી શારદા જહાટકીયા હોસ્પિટલમાં પણ સેવા આપશે.

(11:49 am IST)