Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

વિરનગરથી જસદણ સુધી ગાંધી સંકલ્પ યાત્રા યોજાઇ

સાંસદ કુંડારીયા પૂર્વ ધારાસભ્ય બોઘરા સહિત આગેવાનો જોડાયા

જસદણ તા.૧પઃ રાજકોટનાં સાંસદ મોહનભાઇ કુંડારીયા અને જસદણના પુર્વ ધારાસભ્ય ડો.ભરતભાઇ બોઘરા દ્વારા ગઇકાલે જસદણના વિરનગર ગામેથી જસદણ સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે વહેલી સવારે વિરનગર ગામેથી પ્રારંભ થઇ આટકોટ થઇ જસદણ પહોંચી હતી.આટકોટ ખાતે કૈલાશનગરમાં સાંસદ મોહનભાઇ કુંડારીયાની ગ્રાંન્ટમાંથી બનાવવામાં આવેલ ડો.આંબેડકર ભવનનું લોકાર્પણ થયું હતું.

ત્યારબાદ જસદણના આટકોટ રોડ ઉપર આવેલ ભાજપના કાર્યાલય કમલમ ખાતે યાત્રા પહોંચી, જયાં મુખ્ય કાર્યકર્તાઓની બેઠક મળી હતી જેમાં જસદણ શહેર તેમજ તાલુકાના પ્રમુખ અને મહામંત્રોના નામોની જાહેરાત કરવામાં આવી હતી.

(11:20 am IST)