Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

કણકોટ પાસે હાઉસીંગના કવાટરમાં છાતીમાં દુઃખાવો ઉપડતા કીરણસિંહનું મોત

બેડી ગામમાં કાળુભાઇ વણજારાને હાર્ટએટેક આવતા મોત

રાજકોટ તા. ૧પ : કણકોટ પાટીયા પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા આઘેડને છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ કણકોટક પાટીયા પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાટરમાં રહેતા કીરણસિંહ દોલભા રાણા (ઉ.૪૮) રાત્રે પોતાના ઘરે હતાં. ત્યારે તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક કીરણસિંહ કારખાનામાં મજૂરી કામ કરતા હતાં. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તે બે ભાઇ એક બહેનમાં નાના હતાં. આ અંગે તાલુકા પોલીસ મથકના એએસઆઇ તૃષાબેન બુહાએ કાર્યવાહી કરી હતી.

જયારે બીજા બનાવમાં મધ્ય પ્રદેશના વતની હાલ બેડી ગામમાં રહેતા કાળુભાઇ કીશનભાઇ વણઝારા (ઉ.૪પ) રાત્રે પોતાના ઘરે હતાં. ત્યારે વહેલી સવારે તેને એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક કાળુભાઇ ચાદર-તકીયાની ફેરી કરતા હતાં. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ રાયધનભાઇ ડાંગરે કાર્યવાહી  કરી હતી.

(11:15 am IST)