Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

વાંકાનેરની સગીરાનું મોરબીમાંથી લલચાવી- ફોસલાવી પંચાસિયાનો યુવક અપહરણ કરી ગયાની પોલીસ ફરિયાદ

 

વાંકાનેર પંથકની રહેવાસી સગીરાનું મોરબી માંથી અપહરણ કરવામાં આવ્યું હોય જે અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર પંથકના રહેવાસી પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની ૧૭ વર્ષની સગીર વયની દીકરીને આરોપી સંજય નથુભાઈ ધંધુકીયા (રહે ગામ પંચાસીયા તા વાંકાનેર) ભોગ બનનાર અનુ. જાતિની હોવાનું જાણવા છતાં લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી છે મોરબી ખાતેથી સગીરાના અપહરણ અંગે મોરબી સીટી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

 

(12:40 am IST)