Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ઉના અને ગીરગઢડામાં પૂ. જલારામ બાપાની ર૧૯મી જયંતી ઉજવાઇ : શોભાયાત્રા, મહાપ્રસાદ યોજાયા

ઉના, તા. ૧પઃ સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ર૧૯મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવાઇ હતી.

સવારે જલારામ મંદિરે આરતી બાદ શોભાયાત્રા ઉના શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી મંદિરે પૂર્ણ થઇ હતી. ત્યારબાદ મહાપ્રસાદ યોજાયો હતો જેમાં હજારો ભકતોએ લાભ લીધો હતો તેમજ સાંજે આરતી તથા ધુન ભજન કાર્યક્રમ તથા સાંજે કઢી-ખીચડી રોટલાનો મહાપ્રસાદ યોજાયો હતો. ગીરગઢડામાં લોહાણા મહાજન દ્વારા જલારામ મંદિરેથી શોભાયાત્રા નીકળી ગામમાં વાજતે ગાજતે ફરી જલારામ વાડીએ પૂર્ણ થઇ હતી અને સમુહ મહાપ્રસાદ યોજાયો હતો.

(12:26 pm IST)