Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ઋષિકેશના શ્રીમદ્દ ભાગવત સપ્તાહ - શ્રી મહાવિષ્ણુ યાગ

વ્યાસાસને શાસ્ત્રી દિપ્તેશજી અનંતપ્રસાદજી ભટ્ટ

ગોંડલ, તા. ૧૫ : શાસ્ત્રી દિપ્તેશજી અનંતપ્રસાદજી ભટ્ટના વ્યાસાસને ઋષિકેશ તીર્થ ક્ષેત્રમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા શ્રી મહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાગવત કથાનો પ્રારંભ તા.૧૬-૧૧ના થશે. તા.૨૩-૧૧ના વિરામ તથા તા.૨૪-૧૧ના વિષ્ણુયાગનો પ્રારંભ થશે અને તા.૨૬-૧૧ના વિરામ લેશે.

વકતા તથા આચાર્યપદે ગોંડલ - રાજકોટના જયોતિષ રત્ન - ભાગવતાચાર્ય શાસ્ત્રી દિપ્તેશજી અનંતપ્રસાદજી ભટ્ટ બિરાજીને હોટલ નારાયણ પેલેસ રિસોર્ટ, બદ્રીનાથ રોડ, તપોવન તેહરી ગઢવાલ ખાતે રસપાન કરાવશે.

ભાવિકોને લાભ લેવા લંડનના અમૃતભાઈ તથા નર્મદાબેન નકુમ પરિવારે આમંત્રણ પાઠવ્યુ છે.

(11:11 am IST)