Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પોરબંદર બ્રહ્મસમાજમાં હર્ષની હેલીઃ પ૧ આચાર્યને સાથે રાખીને સાંજે શાસ્ત્ર અને શસ્ત્રપૂજન

પોરબંદર, તા., ૧પઃ સમસ્ત બ્રહ્મ સમાજના  હોદેદાર અને સક્રિય કાર્યકર્તા વિદ્વાન આચાર્ય  રમેશભાઈ રાજયગુરુ (શાસ્ત્રી )એ કર્મકાંડ કરતા ૫૧ બ્રાહ્મ ણ નું નેતૃત્વ કરવાનું સ્વીકારીને આજે દશેરાએ સાંજે ૫૧ આચાર્યને સાથે રાખી  શાસ્ત્ર શસ્ત્રનું પૂજનનું આયોજન કરેલ છે.

કર્મકાંડી પ૧ આચાર્યને સાથે રાખીને  દશેરાનંુ પૂજન અને પૂજા વિધિ  સાંજે ૪-૩૦ કલાકે ગોપનાથ મંદિરે શરૂ થશે.  બ્રહ્મ સમાજના હર કોઈ વ્યકિત કે જે પરંપરાગત બ્રાહ્મ ણના ગણવેશમાં આવશે તે પૂજા વિધિ કરી સકશે. બધા જ બ્રાહ્મ ણોએ  ગણવેશ પહેરવો ફરજિયાત છે, ગણવેશ વગરના જે બ્રાહ્મણો આવશે તે દર્શન કરી સકશે. જિલ્લા પ્રમુખ પ્રેમશંકરભાઈ જોશીની આગેવાનીમાં આ કાર્યક્રમનું આયોજન કરેલ તેમ જિલ્લા મહામંત્રી ગીરીશભાઈ વ્યાસ, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશભાઈ થાનકી,જિલ્લા ઉપપ્રમુખ દિનેશભાઇ  ત્રિવેદીની યાદીમા જણાવાયું છે

(12:10 pm IST)