Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પંજાબ સત્‍સંગ કાર્યક્રમથી પરત આવેલ ગાંધીધામના બે રહેવાસીઓને કોરોના : ૬૫ જણ સાથે હતા

કચ્‍છમાં ૪ એકિટવ કેસને પગલે ચિંતાઃ લોકોને સાવચેત રહેવા અને રસી લેવા તંત્રની સતત અપીલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૫: કચ્‍છમાં શાંતિ વચ્‍ચે ફરી ટ્રાવેલ હિસ્‍ટ્રીના કારણે કોરોના કેસ દેખાઈ રહ્યા છે. પંજાબ સત્‍સંગ કાર્યક્રમમાંથી પરત ફરેલા આદિપુર અને ગાંધીધામના એક એક મહિલા સહિત બે કોરોના કેસ નોંધાયા છે.
આ બન્ને મહિલા દર્દીઓ સાથે જ ટ્રેનના એક જ ડબ્‍બામાં કુલ ૬૫ સત્‍સંગીઓ પ્રવાસમાં હતા. તંત્રે સૌની તપાસ હાથ ધરી છે. આ પહેલાં ગાંધીધામ આદિપુરમાં બે એક્‍ટિવ કેસ નોંધાયા છે. તે પણ ટ્રાવેલ હિસ્‍ટ્રીના જ છે. અત્‍યારે ૪ દર્દીઓ સારવાર હેઠળ છે.
જોકે, કચ્‍છના આરોગ્‍ય તંત્ર દ્વારા લોકોને કોરોના થી બચવા માટે જાગૃત રહેવા તેમ જ રસી લેવા માટે સતત અપીલ કરાઈ રહી છે. લોકોએ પણ પોતાના આરોગ્‍યની જાળવણીએ પોતાની જવાબદારી છે એ સમજી સતર્ક રહેવાની ફરજ છે.


 

(11:00 am IST)