Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ચોટીલા - થાન - રોડ નવા ગામના પાટીયા પાસે છકડો બોલેરો ટકરાયાઃ પ ને ઈજા

ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા : બેનું વધુ ઈજાથી રાજકોટ રીફર કરાયા

વઢવાણ તા.૧૫: સુરેન્દ્રનગર જિલ્લા માં અકસ્માત ની સનખ્યાં માં વધારો થયો છે.ત્યારે હાલ નવા દીવસો નીં પણ શરુઆત થઈ જતા જિલ્લા ના રોડ રસ્તા ભારે બન્યા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં ગઈ કાલે ચોટીલા થાન રોડ પાસે આવેલ નવાગામ ના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લા ના ચોટીલા થાન વચ્ચે આવેલ નવાગામ પાસે છકડો અને બોલેરો કાર વચ્ચેના અકસ્માત ના પગલે ૫ લોકો ને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં થી ૨ લોકો ને રાજકોટ માં રીફર કરવા માં આવી છે.

ત્યારે પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી અકસ્માત ઇઝા પામેલ ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત બાદ આસપાસનાં લોકો દવારા અને બચાવ કામગીરી શરૂ કરી હતી..

(1:22 pm IST)