Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જામજોધપુરની સપ્તધારા ટીમ દ્વારા જામનગર વાસીઓને ડેન્ગ્યુ અટકાવવા જાગૃત કરાયા

જામનગર, તા. ૧૫: જામનગર જિલ્લા અને શહેરને સતત ભરડો લઈ રહેલા ડેન્ગ્યુ રોગને અટકાવવા અને તેનાથી સંપૂર્ણ નાબૂદી મેળવવા માટે તંત્ર દ્વારા સતત ફોગીંગ, પોરાનાશક કામગીરી અને લોકજાગૃતિની ઝુંબેશ ચલાવાઇ રહી છે ત્યારે જામનગર શહેરમાં લોકો સ્વ-જાગૃતિથી ડેન્ગ્યુથી બચવા માટે સરળ ઉપાયો અને સાવચેતીના પગલાં લે તે માટે જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનીઙ્ગ સપ્તધારાની જામજોધપુર ટીમ દ્વારા આજે જામનગર શહેરના દ્યાંચીવાડા, વામ્બે આવાસ, બેડીની સરકારી શાળા નં.૪૦, બેડીના ધરારનગર અને નવાગામની ખડખડ શાળામાં કઠપૂતળીના ખેલ અને નાટક દ્વારા લોકજાગૃતિ લાવવામાં આવી હતી.

શેરી નાટક અને કઠપૂતળીના ખેલ દ્વારા લોકોને ડેન્ગ્યુ મચ્છરની ઓળખ, તેનાથી બચવા માટેનાં ઉપાયો, તેની ઉત્પત્ત્િ। ન થાય તે માટેની તકેદારીના પગલાં અને જો ડેંગ્યુ તાવ આવે તો તેને અનુલક્ષીને કયા કયા પગલાં લેવા જોઈએ તે અંગેની સમજણ લોકોને પૂરી પાડવામાં આવી હતી. આ સંપૂર્ણ  કાર્યક્રમ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીશ્રી અમૃતિયાની આગેવાની હેઠળ યોજાયો હતો તેમજ કાર્યક્રમની સંપુર્ણ કામગીરી આરોગ્ય વિભાગનાશ્રી નીરજભાઈ મોદી તેમજ વી.પી.જાડેજા દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

(12:45 pm IST)