Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ખંભાળીયા તાલુકાના પ ગામોમાં પાંચ દિવસથી વિજળી બંધઃ ગ્રામજનો દ્વારા તાળાબંધી

ખંભાળીયા તા. ૧૪ : બેહ, વડત્રા, દાત્રાણા, ઝાકસીયા, નાના મોટા આસોટા વિ. પાંચ ગામોના ખેડુતોને પાક હાલ છેલ્લી સ્થિતિમાં છે ત્યારે ત્યારે એક સપ્તાહથી તડકો નીકળતા છેલ્લુ પાણી આપવું પડે તેવી સ્થિતિ છે. ત્યારે છેલ્લા પાંચ દિવસથી પી.જી.વી.સી.એલ.તંત્ર દ્વારા થ્રીફેઇઝ લાઇન બંધ કરી દેતા છતે પાણીએ પાક સુકાતા ખેડુતોમાં રોષની લાગણી ફેલાતા પાંચેય ગામના ખેડુતો ખંભાળિયા દોડી આવ્યા હતા.

પી.જી.વી.સી.એલ.કચેરીને તાળા બંધ કરીને તેના દરવાજા બંધ કરીને ત્યાં રસ્તા પર બેસી જતા તંત્ર દોડયું તથા ઇજનેરો પણ દોડી આવ્યા હતા.

આ વર્ષે માંગ્યો વરસાદ પડતા ભાગ્યેજ વીજળની જરૂર પડી છે ત્યારે તંત્ર છેલ્ે આવું કરતા ખેડુતોમાં રોષની લાગણી વ્યાપી છે.

(12:31 pm IST)