Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

મોરબીમાં સાંસદ વિનોદભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં ગાંધી સંકલ્પ યાત્રા યોજાઇ

મોરબીઃમહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણી સંદર્ભે સાંસદ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે જેમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાની ગાંધી સંકલ્પ યાત્રા મોરબી-માળિયા વિસ્તારમાં યોજાઈ હતી જે પદયાત્રામાં માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયા, ભાજપ અગ્રણી પ્રદીપભાઈ વાળા, જયોતીસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, કે એસ અમૃતિયા, રીષીપભાઈ કૈલા, સહિતના અગ્રણીઓ જોડાયા હતાગાંધી સંકલ્પ યાત્રામાં ગાંધીજીના આદર્શ, સત્ય અહિંસાનો સંદેશ, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ જતન સંદેશને અભૂતપૂર્વ આવકાર મળ્યો હતો સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છના નવ તાલુકામાં યાત્રા પૂર્ણ કરી મોરબી અને માળિયા વિસ્તારમાં યાત્રા યોજી હતી જેમાં સ્વચ્છતા સંદેશ અને પર્યાવરણ સંદેશ આપવામાં આવ્યો હતો ૩૦૦ થી વધુ લોકો સમાપન સભામાં અને ૧૦૦ થી વધુ લોકો પદયાત્રામાં જોડાયા હતા.

(12:30 pm IST)