Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓનું આવેદન પરિક્ષા રદ થતા રોષ

સરકાર દ્વારા તા. ૨૦ ઓકટોબરના રોજ બિનસચિવાયલની પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અંદાજીત ૪૫ હજાર વિદ્યાથીઓ પરિક્ષા આપનાર હતા. પરંતુ અચાનક સરકાર દ્વારા બિનસચિવાયલની પરીક્ષા રદ કરવામાં આવતા ઉમેદવારો તેમજ વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. આથી વિદ્યાર્થીઓએ સુરેન્દ્રનગર અધિક કલેકટરને આવેદન પાઠવી રોષ ઠાલવ્યો હતો. આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા ૨૦ ઓકટોબરના રોજ યોજાનાર હતી. પરંતુ સરકાર દ્વારા રદ કરતા અમારી મહેનત પર પાણી ફરી વળ્યુ છે. હવે સરકારે ધો.૧૨ પાસ કરેલ વિદ્યાર્થીઓ જ પરિક્ષા આપી શકે તેવા નિયમો સાથે પરિક્ષા લેવામાં આવે તેવી લાગણી અને માંગણી છે.

(12:25 pm IST)