Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

દેવગામ પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલા બેડલીના સિંચાઇ વિભાગના કર્મી ઘનશ્યામસિંહજીનું મોત

પંદર દિવસ પહેલા ઘનશ્યામસિંહ સંબંધીના બાઇક પાછળ બેસી કાલાવડ જતા'તા : રાજકોટમાં દમ તોડી દીધો

રાજકોટ, તા. ૧પ : કાલાવડ રોડ ખીરસરા નજીક દેવગામ પાસે અજાણી કાર ચાલકે બાઇકને ઠોકર મારતા ભાવનગર સિંચાઇ ખાતાના કર્મચારીનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ પાલીતાણાના બેડલી ગામમાં રહેતા અને ભાવનગર સિંચાઇ ખાતામાં ફરજ બજાવતા ઘનશ્યામસિંહ ધીરૂભા ગોહીલ (ઉ.વ.પર) ગત તા. ૩૦/૯ના રોજ સંબંધીના બાઇક પાછળ બેસી કાલાવડ જતા હતાં ત્યારે ખીરસરા નજીક દેવગામ પાસે અજાણી કારના ચાલકે બાઇકને ઉલાળતા ઘનશ્યામસિંહ ફંગોળાઇ ગયા હતાં. અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા, બાદ તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક ઘનશ્યામસિંહને સંતાનમાં એક પુત્ર છે તે ભાવનગરમાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. બોઘાભાઇએ પ્રાથમિક કાગળો કરી કાલાવડ મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:59 am IST)