Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

વિંછીયાના અમરાપુરમાં કુંવરજીભાઇ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ

આટકોટ : વિંછીયા તાલુકાના અમરાપુર ગામે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનાં શૈક્ષણીક સંકુલ ખાતે કુંવરજીભાઇ દ્વારા જ આયોજીત સર્વરોગ નિદાન યજ્ઞ યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ નિદાન કેમ્પમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા, મેડીકલ ઓફીસર ડો. રાઠોડ, જીલ્લા વહીવટી અધિકારી ગોંડલીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચૌધરી તેમજ જુદા જુદા વિભાગના તજજ્ઞ ડોકટરો દ્વારા સેવા આપવામાં આવી હતી. (તસ્વીર - અહેવાલ : વિજય વસાણી આટકોટ)

(10:27 am IST)