Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

શ્રી સોમનાથ જયોતિલિંગ ખાતે પૂ.યજ્ઞેશભાઇ ઓઝાના વ્યાસાસને શિવકથાનો પ્રારંભઃ પોથીયાત્રા નિકળી

પ્રભાસ પાટણ તા.૧પઃ પરમ શિવભકત હિતાબેન (પૂર્વ જીલ્લા અને સત્ર ન્યાયાધિશ)ના પરિવાર દ્વારા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સાગરદર્શન ઓડીટોરીયમ હોલ ખાતે શિવકથાનું તા.૧૩ થી તા.ર૦ ઓકટોબર દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. તા.૧૩ના રોજ શ્રી સોમનાથ મંદિર ખાતેથી પોથીયાત્રા નીકળી હતી. જેમાં હિતાબેન પંડયા તેમજ પુ.યજ્ઞેશભાઇ ઓઝા (રાજુલા) સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર તથા કર્મચારીઓ આ પોથીયાત્રામાં જોડાયા હતા. આ કથાનો વિધિવત પ્રારંભ તા.૧૩થી થયો છે. પૂ.રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)નાં શિષ્ય યજ્ઞેશભાઇ ઓઝા (રાજુલા)ના શ્રીમુખે આ કથાનું શ્રવણ એક લ્હાવો છે. સાગરદર્શન ઓડીટોરીયમ ખાતે બપોરે ર-૩૦ થી સાંજે ૬-૩૦ દરમ્યાન શિવકથા યોજાશે. લાભ લેવા સર્વે ધર્મપ્રેમી જનતાને પંડયા પરિવારે અપીલ કરી છે. (૧૧.પ)

(12:23 pm IST)