Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

માંગરોળમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા રકતદાન શિબિરની સાથે સત્સંગ સભાય યોજાઇ

માંગરોળ તા.૧૫ : સંત નિરંકારી ચેરી. ફાઉન્ડેશન દ્વારા આયોજીત રકતદાન શિબિરનું ઉદઘાટન સ્વામી પ્રેમાવતી નંદદાસજીના હસ્તે કરવામાં આવેલ. જેમાં રાજકોટ સીવીલ હોસ્પિટલ બ્લડ બેંકનો સંપુર્ણ સહયોગ મળેલ અને સંત નિરંકારી મિશન જામનગરના સંયોજક મનહરલાલ રાજપાલના અધ્યક્ષસ્થાને સત્સંગનું આયોજન કરવામાં આવેલ.

રાજકોટ ઝોનના શ્રી રાજેશ કેશવાણીજીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢના સંયોજન જગદીશજી તથા કાળુભાઇ નિરંકારી અને માંગરોળ બ્રાંચના મુખી ભુપેન્દ્ર મુંબઇથી ખાસ હાજર રહેલા. મહેશજીના અથાગ પ્રયત્નોથી યોજાયેલ આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાંથી સેંકડો લોકોએ હાજરી આપી હતી. સેવાદળના ઇન્ચાર્જ મોટવાણીજીના આદેશ અનુસાર સેવાદળના ભાઇઓ બહેનોએ વ્યવસ્થા જાળવી હતી.

આ કાર્યક્રમમાં માંગરોળના મામલતદાર પી.જે.શાહ, ચીફ ઓફીસર પી.એ.ચાવડા, ડો.કુબાવત, ડો.નિલેશ કામની પણ ઉપસ્થિતિ રહી હતી. મંચ સંચાલન રાજકોટના દિલીપ ધેરાએ કરેલ તેમ કોડીનારના કનૈયાલાલ દેવાણીની યાદીમાં જણાવાયુ છે.(૪૫.૪)

 

(12:11 pm IST)