Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક યાત્રા પ્રવાસ

ઉનાઃ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ દ્રોણેશ્વરના ૯૦ ઉપરાંત વિદ્યાર્થીઓ શિક્ષક શ્રી વિજયભાઇ જાગાણી અને વિજયભાઇ નંદવાણાની આગેવાની નીચે, સૌરાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ સોમનાથ, પ્રભાસ પાટણ, લોએજ, માંગરોળ, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદમાં કાંકરિયા, સાયન્સ સીટી, ગાંધીનગર અક્ષરધામ, વગેરે સ્થળોએ શૈક્ષણિક પ્રવાસ કરી એસજીવીપી છારોડી આવતા તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવેલ. એસજીવીપી ગુરૂકુલમાં જોગી સ્વામી હૃદય કુટિર, એસી હોસ્ટેલ, ગૌશાળા, ઇન્ટરનેશનલ સ્કુલ વગેરેની મુલાકાત તેમજ માધવપ્રિયદાસજી સ્વામી પાસે સત્સંગ સભા બાદ સ્વીમીંગ અને ક્રિકેટની પણ મજા માણી હતી. તે પ્રસંગની તસ્વીર.(૨૨.૪)

(12:06 pm IST)