Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

પોરબંદરના દરિયામાં ગણેશ મૂર્તિનું વિસર્જન કરતા કિશોર તણાયોઃ લાપતાઃ અન્ય ૪નો બચાવ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧પ : દરિયા કાંઠે અસ્માવતી ઘાટમાં ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા ગયેલ કિશોર દરિયામાં તણાય જતા લાપત્તા બની ગયેલ છે. તેમની સાથે રહેલ અન્ય ૪ મિત્રોનો બચાવ થયો છે.

જુમ્મા મસ્જિદ વિસ્તારમાં રહેતો એક કિશોરે તેના ઘરમાં પ્રથમ વખત ગણેશ મૂર્તિનું સ્થાપન કરેલ હતું અને ગણેશ મૂર્તિનું દરિયા કાંઠે અસ્માવતી ઘાટમાં વિસર્જન કરતી વખતે દરિયાના જોરદાર પ્રવાહમાં તણાય જતા લાપત્તા થઇ ગયેલ છે. શોધખોળ કરવા તંત્રને જાણ કરાય છે.

અસ્માવતી ઘાટમાં તણાય ગયેલ કિશોર સાથે અન્ય ૪ મિત્રો ગયેલ હતા. જેઓ ચારેય કાંઠે આવી જતા બચાવ થયો છે.

(1:28 pm IST)