Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

અમરેલી નાગરીક બેંક ચિતલ બ્રાંચમાં બિનવારસી દાગીના મળેલ છે

અમરેલી, તા., ૧૫: નાગરીક સહકારી બેંક લી. હસ્તકની ચિતલ બ્રાંચમાં છેલ્લા ત્રણ માસથી બિનવારસી દાગીના બેંકના સંનિષ્ઠ કર્મચારીને મળતા અમરેલી હેડ ઓફીસમાં જમા કરાવેલ છે. આજ સુધી કોઇ દાવેદારી ન કરતા ચિતલ બ્રાંચના તમામ ર૪૦ લોકર ધારકોને નોટીસથી જાણ કરેલ છે. ચિતલ બ્રાંચમાં જશવંતગઢ, ચિતલ, બળેલ પીપરીયા, રાંઢીયા, મોણપુર, રોકડીયા, ઇંગોરાળા ગામ સિવાયના પણ જે કોઇ લોકર ધરાવતા હોય તેવા ચિતલ બ્રાંચમાં લોકર ધરાવતા દરેક લોકરધારકે પોતાનું લોકર ચેક કરી લેવા તેમજ જો વસતુ ઘટતી હોય તો દાગીનાનું બીલ અથવા ફોટોગ્રાફ વગેરે રજુ કરવાના રહેશે તેમજ તારીખ ૩૧-૧૦-ર૦ર૧ સુધીમાં આ દાગીનાની દાવેદારી કરી લેવાની રહેશે જેની નોંધ લેવા બેંકના પુર્વ ચેરમેન પી.પી.સોજીત્રા, જયેશભાઇ નાકરાણીની યાદીમાં જણાવેલ છે.

(1:18 pm IST)