Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

જામકંડોરણાનાં જામદાદરમાં વિજળી પડતા ખેડૂતનું મોતઃ ર પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી

(ધર્મેશ બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૧પઃ ધોરાજી સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે વિજળીઓના કડાકા ભડાકા વચ્ચે જોરદાર વરસાદ ખાબકયો અને જામકંડોરણાના જામદાદર ખાતે વાડીએ રહેતા અને ખેતી કામ કરતા એવા જીતેન્દ્રભાઇ ઘેલજીભાઇ પરમાર ઉ.વ. ૪પ રહે. જામદાદર મુળ દાહોદ વાળા પર વાડીએ ગઇકાલે સાંજે વિજળી પડતા ૧૦૮માં જામકંડોરણા લાવતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરેલ હતા.

મરણ જનારને પરીવારમાં ર પુત્રોને વિલાપ કરતા છોડી ગયેલ છે. આ બનાવની જાણ થતા અગ્રણીઓ હોસ્પીટલ ખાતે દોડી આવેલ અને મરણ જનારના પરીવારને શાંતવના આપેલ હતી આ બનાવ અંગે બીટ જમાદાર મયૂરભાઇ કોટડીયા તપાસ ચલાવી રહેલ છે.

(1:10 pm IST)