Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ઉનાઃ અસરગ્રસ્તોના સહાય પ્રશ્ને આવેદનઃ

ઉનાઃ ગીર ગઢડા તાલુકામાં તોકેત વાવાઝોડામાં લોકોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો તેને લઇને ઉના તાલુકા તેમજ ગીર ગઢડા તાલુકામાં આવા વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો અને લોકોને જાનમાલની નુકસાની પણ મોટાપાયે થઇ હતી. ત્યારે ગુજરાતે સરકાર દ્વારા ૨૫૦ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં જે લોકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે તે લોકોને સહાય ચુકવવા ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી હતી ત્યારે સર્વે કરી અને જે ફોર્મ ભર્યા તેમાં અમુક લોકોને સહાય મળી અને બીજા લોકો સહાયથી વંચિત રહ્યા છે. તેને લઇને ગીર ગઢડા તાલુકાના અંબાડા ગામના જાગૃત યુવાન શાંતિલાલ કિડેચાની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદન આપ્યું તે તસ્વીર. 

(11:52 am IST)