Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

કોરોનાની સારવાર બાદ માંડવીના વેપારીનું મોતઃ એક મહિનામાં કોરોનાથી ત્રણ વ્યાપારીઓના મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧પ :.. કોરોનાએ કચ્છમાં સર્જેલા હાહાકાર વચ્ચે માંડવી શહેરમાં શોકનો માહોલ સજર્યો છે અહીંના ફુટવેરના પ૭ વર્ષીય વ્યાપારી અતુલ અમૃતલાલ સંઘવીને કોરોના થયા બાદ કોવિડ હોસ્પીટલમાં સારવાર અપાયા બાદ સારૂ થઇ ગયું છે. એવું કહી રજા આપી દેવાઇ હતી. જો કે, ઘેર ફરી શ્વાસની તકલીફ થયા બાદ તેમને  હોસ્પીટલમાં દાખલ કરાતાં તેમનું મોત થયું હતું.

માંડવીમાં એક જ મહીનામાં મહેશભાઇ સંઘવી, દેવશીભાઇ ગાંધી પછી આ ત્રીજા વ્યાપારીનો કોરોનાએ ભોગ લીધો છે.

(11:37 am IST)