Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ચોટીલાનાં ભેટસુડામાં પ્રેમી પંખીડાનો આપઘાત

ચોટીલા પંથકમાં પ્રેમીપંખીડાનો આપઘાત :.. વઢવાણ : ચોટીલા પંથકના સીમ વિસ્તારમાં પ્રેમી પંખીડાએ આપઘાત કરતા અરેરાટી વ્યાપી છે. (તસ્વીર : ફઝલ ચૌહાણ -વઢવાણ) (પ-૧૯)

વઢવાણ, તા., ૧પઃ ચોટીલા તાલુકાના ભેટસુડા ગામ ખાતે રહેતા રમેશભાઇ નટવરભાઇ કુકડીયાના ખેતરમાં મજુરીકામ કરતા મહેશ રમેશભાઇ કુકડીયા અને વિલાસબેન રાયાભાઇ જાદવ બન્ને વચે પ્રેમમાં પડયા હતા.

આ પ્રેમી પંખીડા પ્રેમી યુગલ સાથે જીવવા મરવાના કોલ પણ આપ્યા હતા ત્યારે સમાજ પ્રેમી યુગલને નહી સ્વીકારે અને એક-બીજાને ભેગા રહેવા નહી દયે એવો અહેસાસ મહેશ અને વિલાસબેનને થતા બન્નેએ સાથે જીવી નહી શકાય પરંતુ બન્ને સાથે તો મરી જ શકાય એવો નિર્ણય લઇને ખેતરમાં જ ઝાડ સાથે દુપટ્ટો બાંધી બન્ને સજોડે આત્મહત્યા કરી લેતા બન્ને પ્રેમી યુગલના પ્રેમનો અંત લાવતા નાના એવા ભેટસુડા ગામમાં ભારે હાહાકાર મચી ગયો છે.

આ ઘટનાથી બન્નેના પરીવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. જયારે નાના એવા ભેટસુડા ગામમાં પ્રેમી યુગલના આપઘાતના મામલામાં શોક છવાઇ જવા પામ્યો છે.(૪.૩)

(3:53 pm IST)