Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સુરેન્દ્રનગરઃ સોનાપુર રોડ ઉપર આવેલા મહિલા-પુરૂષ શોૈચાલયોના બારણા ગાયબ

ગંદકીનું સામ્રાજય સાથે દારૂની બદીથી આસપાસના લોકો ત્રાહીમામ

સુરેન્દ્રનગરના સોનાપુર રોડ પર આવેલ મહિલા-પુરૂષોના શોૈચાલય ખંઢેર બની ગયા છે બારણા પણ તુટી ગયા છે જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ ફારૂક ચોૈહાણ)

વઢવાણ તા.૧૫:  સુરેન્દ્રનગર શહેરના સોનાપુર રોડ ઉપર આવેલા મહિલા અને પુરુષોના શોૈચાલયોમાં ગંદકીથી ખદબદતી રહયું છે. આ શોૈચાલયોમાં સદંતર સાફ સફાઇનો અભાવ હોવા અંગેની રજુઆત મહેતા મારકેટના વેપારી મિત્રો દ્વારા કરવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર શહેરમાં હટાણુ કરવા માટે આવતા બહારગામના વેપારીઓ અને સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં વ્યવસાય કરી રહેલા વેપારીઓ સુરેન્દ્રનગરના આ સોનાપુર રોડ ઉપર આવેલા શોૈચાલયમાં યુરીનિયલ અને શોૈચક્રિયા કરવા માટે જતા હોય છે.

ત્યારે આ સોનાપુર રોડ ઉપર આવેલા આ શોૈચાલયના હાલત બદતર બની ગઇ છે. આ શોૈચાલયમાં ખાળકુવા ઉભરાઇ રહયા છે. શોૈચાલયમાં ખાસ કરીને મહિલાઓના શોૈચાલયમાં બારણા ન હોવાના કારણે લુખ્ખા આવારા તત્વોનો ભય રહેલો છે. આ યુરીનીયલ શોૈચાલયમાં દારૂની ખાલી બોટલો દેશી દારૂની કોથળીઓ બહાર કચરાના ઢગલા-હોવાના કારણે વેપારીઓ આ પ્રશ્ને લઇને ત્રાહીમામ પોકારી ઉઠયા છે. જેન્સના ટોયલેટ આગળ વાહનો પણ ખડકલો કરવામાં આવે  છે. મહિલાઓના શોૈચાલય અસુરક્ષીત હોવાના કારણે અઘટીત ઘટના પણ કયારેક બની શકે તેવો ભય હાલ વેપારીઓ દ્વારા વ્યકત કરવામાં આવ્યો છે ત્યારે તાત્કાલીક અસરે નગર પાલિકા ધ્યાન આપી વ્યવસ્થિત કરાવવા લોક માંગ ઉઠવા પામેલ છે.(૧.૨)

(12:45 pm IST)