Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ઉનાની અંજાર સીમમાં ખેડૂત ઉપર હુમલો કરતા દીપડો પાંજરે પુરાયો

ઉના તા. ૧૫ ઉ અંજાર ગામની સીમમાં માનવી ઉપર હુમલો કરનાર દિપડાને વન વિભાગે પાંજરે પુરી દીધેલ છે.

તાલુકાના અંજાર ગામની સીમમાં બે દિવસ પહેલા વાડીમાં આવેલ મકાનમાં એક ખેડૂત ડાભીભાઇ દરવાજો ખુલ્લો રાખી સુતા હતા ત્યારે શિકારની લાલચમાં દિપડો આવી ચડી હુમલો કરતા સારવાર માટે ખસેડેલ હતા. વન વિભાગના આ.એફ.ઓ પંડયાભાઇએ સ્ટાફ ને સુચના આપી પાંજરૂ મુકતા એક દિપડો પાંજરામાં પુરાઇ જતા તેને જશાધાર એનીમલ કેર સેન્ટર ખાતેખસેડેલ છે. તેમજ ગુરૂવારે રાત્રીના અંજાર ગામની સીમમાં દાનાભાઇ મેરૂભાઇ ડાભીની વાડીએ એક સિંહએ ઢાળીયામાં બાંધેલ ગાય ઉપર હુમલો કરી શિકાર કરી મારી નાખી હતી. (૩.૪)

(12:41 pm IST)