Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

કોડીનારમાં ગણેશોત્સવ અને ગણેશચતુર્થી તહેવારોને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠકમળી

કોડીનાર તા.૧૫ : શહેરમાં આગામી મોહરત અને ગણેશચતુર્થી નિમિતે જ્ઞાતિ સમિતિની મિટીંગ યોજાઇ હતી.

ગીર સોમનાથ ડીવાયએસપી ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલ શાંતિ સમિતિની મિટીંગ આગામી ગણેશ મહોત્સવ અને મોહરમ પર્વ કોમી એકતા અને ભાઇચારા સાથે શાંતિપુર્ણ રીતે ઉજવવા ચર્ચાઓ થતા કોડીનારના તમામ હિન્દુ મુસ્લીમ આગેવાનોએ એકી અવાજે આગામી બંને તહેવારો ભાઇચારા સાથે ઉજવવા ખાત્રી આપી હતી.

આ શાંતિ સમિતિની મિટીંગમાં ચેમ્બર્સ પ્રમુખ હરીભાઇ વિઠલાણી, પાલીકા પ્રમુખ રફીકભાઇ જુણેજા, ઉપપ્રમુખ શિવાભાઇ સોલંકી, દતાભાઇ, જીશાનભાઇ નકવી, ચંદુભાઇ જાની, પીએસઆઇશ્રી દવે, પીએસઆઇ શ્રી હેરમા, પત્રકાર મિત્રો, પાલીકા સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(૪૫.૫)

(12:39 pm IST)