Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

સુભાષચંદ્ર હરજીવનભાઇ વૈયાટાએ કોરોના વૈશ્વિક મહામારીની વિકટ પરિસ્થિતિમાં જનસેવા કરવા બદલ સન્‍માનિત કરાયા

આજરોજ, તા. 15/08/2020 અને સ્વતંત્રતા પર્વ ની ઉજવણી ના પ્રસંગે વૈયાટા પરીવારનું ગૌરવ અને શ્રી સમસ્ત વાંઝા દરજી સમાજ ના અગ્રણી તેમજ વેરાવળ તાલુકા સસ્તા અનાજ એસોસીએશન ના *પ્રમુખશ્રી સુભાષચંદ્ર હરજીવનભાઈ વૈયાટા* ને ગીર-સોમનાથ જીલ્લા પુરવઠા અધિકારી *શ્રી સુશીલકુમાર પરમાર સાહેબ* ના હસ્તે સન્માનિત કરાયા હતા.

આ સન્માન *પ્રમુખશ્રી સુભાષચંદ્ર હરજીવનભાઈ વૈયાટા* ને  કોરોના વૈશ્વિક મહામારી ની વિકટ પરિસ્થિતિ માં દિન-રાત જોયા વગર નિષ્ઠાપૂર્વક પોતાના જીવ ના જોખમે અને વહિવટી તંત્ર ના ખભા થી ખભો મેળવી ને જનસેવા કરી પોતાની ફરજ બજાવી તે બદલ પ્રશસ્તિપત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમગ્ર વૈયાટા પરીવાર વતી *પ્રમુખશ્રી સુભાષચંદ્ર હરજીવનભાઈ વૈયાટા* ને ખુબ ખુબ અભિનંદન.

આપશ્રી સદા ઉતરોતર પ્રગતિ કરી અને વૈયાટા પરીવાર અને શ્રી સમસ્ત વાંઝા દરજી સમાજ ને ગૌરવ અપાવતા રહો તેવી શુભેચ્છાઓ

(1:41 pm IST)