Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કચ્છમાં કોરોનાએ લીધો વધુ એક ભોગ: મૃત્યુ આંક ૧૩ થયો

મોડી સાંજે મનફરા (ભચાઉ) ના ૬૯ વર્ષીય બેચરભાઈ બચુભાઇ છેડાનું મોત

ભુજ : કચ્છમાં કોરોનાથી આજે વધુ એક મોત નીપજ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીની યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે મોડી સાંજે મનફરા (ભચાઉ) ના ૬૯ વર્ષીય બેચરભાઈ બચુભાઇ છેડાનું મોત નીપજ્યું હતું. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ હતો, હોસ્પિટલમાં વેન્ટિલેટર અને બાયપેપ પર સારવાર હેઠળ હતા, તેમને અન્ય બીમારી પણ હતી.કચ્છમાં કોરોનાથી થયેલું આ ૧૩ મું મોત છે.

(10:31 pm IST)