Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ધોરાજીમાં કોરોનાનો કહેર યથાવત વધુ ત્રણ કેસ પોઝિટિવ : કુલ કેસની સંખ્યા 92

સ્ટેશન પ્લોટ, હિરપરા વાડી વિસ્તારમાં કોરોના કેસ

ધોરાજીમાં આજે ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં  ૨૧ વર્ષના યુવાન દ્વારકેશ એપાર્ટમેન્ટ ધોરાજીના સ્ટેશન પ્લોટ ખાતે અને 52 વર્ષના પુરુષ હીરપરા વાડી બાલાજી હનુમાનજી મંદિર પાસે તેમજ 65 વર્ષના પુરુષ ધોરાજી જેમનો સરનામું પ્રસિદ્ધ થયું નથી તેમને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે,ધોરાજી શહેર અને ગ્રામ્ય માં કોરોના નો આકડો 92એ પહોંચ્યો છે
આજે ધોરાજીના જેતપુર રોડ ઉપર ૭૦ વર્ષના વૃદ્ધ રાજકોટ ખાતે કોરોના પોઝિટિવ સારવાર દરમ્યાન અવસાન થયું છે ટોટલ મૃત્યુઆંક 6 થયો છે

(7:03 pm IST)