Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ પાસેના તળાવમાં ઝૂંપડપટ્ટી વિસ્તારના ૧૫ વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

જામનગર : જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ પાસેના તળાવમાં ઝૂંપડપટ્ટી વિસ્તારનો વિશાલ મોરારજીભાઈ નામનો 15 વર્ષીય બાળક ડૂબ્યો હતો.આ અંગે જાણ થતાં જ ફાયર ઓફિસર કે.કે.બીશ્નોઈ દ્વારા ફાયરબ્રિગેડની ટુકડીને મોકલી બાળકને તળાવમાંથી બહાર કાઢવા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે આ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

(2:29 pm IST)