Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

મોરબી જિલ્લામાં વધુ સાત કેસ : કુલ આંક ૧૩૬

વધુ નવ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા

મોરબી તા. ૧૫ : મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે મંગળવારે વધુ સાત દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે તો કોરોના કહેર વચ્ચે વધુ નવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.

મોરબીના નવલખી રોડ બોખાની વાડીના ૩૦ વર્ષના પુરૂષ, ચંદ્રેશનગરના ૫૭ વર્ષના પુરૂષ, ત્રાજપર ચોકડીના ૫૫ વર્ષના પુરૂષ, વજેપર ૧૫ નં ના ૩૦ વર્ષના પુરૂષ તેમજ તાલુકા પોલીસ લાઈનમાં રહેતા ૩૫ વર્ષના મહિલા, કાયાજી પ્લોટના ૫૦ વર્ષના પુરૂષ અને વિઠ્ઠલનગરના રહેવાસી મહિલા ડોકટરના ૫૪ વર્ષના માતા એમ કુલ સાત કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

વધુ નવ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. મોરબી જીલ્લામાં નવા સાત કેસો સાથે કુલ કેસનો આંક ૧૩૬ પર પહોંચ્યો છે. જેમાં ૭૬ એકટીવ કેસ છે જયારે ૫૩ દર્દીઓ સ્વસ્થ થયા છે તો સાત દર્દીના મૃત્યુ થયા છે.(

(1:01 pm IST)