Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ધી નવાનગર કો-ઓપરેટીવ બેંક લી. દ્વારા ૬ મૃતક વીમાધારકોના પરિવારોને રૂ. ૧૯.૩૯ લાખની ચૂકવણી

જામનગર : સહકારી બેંક ધી નવાનગર કો-ઓપરેટીવ બેંક લી. જામનગરના શહેરીજનોને આધુનિક બેકિંગની સેવાઓ આપવામાં અગ્રેસર રહે છે. તાજેતરમાં વીમાધારક હિતેશભાઇ પરમાર, કૈલાશબેન વારા, જયંતીલાલ ગોહીલ, દિલિપસિંહ રાઠોડ, દયાશંકર ભોગાયતા અને મગનભાઇ ભંડેરીનું અકાળે અવસાન થતા તેમના કુટુંબીજનોને વીમા કલેઇમની કુલ રકમ રૂ. ૧૯,૩૯,૯૯૧/- ના ચેક તા. ૦૮-૦૬-ર૦ર૧ ના રોજ બેંકના પદાધિકારીઓના હસ્તે તેમના વારસદારોને અર્પણ કરાયા હતા. આ તમામ વીમા ધારકોમાંથી ૩ વીમાધારકો કોરોના સંક્રમણનો ભોગ બનતા અવસાન પામ્યા હતા. આ તમામ વીમાધારકોના કલેઇમની રકમ માત્ર ૧૦ દિવસમાં સેટલ કરી એકસાઇડ લાઇફ ઇન્સ્યોરન્સ કાું.એ એક ઉદાહરણીય કામગીરી કરી છે. આ સમયે બેંકના ચેરમેન કિરણભાઇ માધવાણી મેનેજીંગ ડિરેકટર રમણીકભાઇ શાહ, વાઇસ ચેરમેન ધીરજલાલ કનખરા તથા જો. મેેનેજીંગ ડીરેકટર હિતેશભાઇ પરમાર તથા ડાયરેકટરો નાથાલાલ મુંગરા, વિજયભાઇ શેઠ અને હસમુખભાઇ હિંડોચા હાજર રહેલા એકસાઇડ લાઇફ ઇન્સ્યોરન્સ તરફથી ડી.જી.એમ. કુલદીપભાઇ પટેલ તથા કલસ્ટર મેનેજર પ્રતિક ટાંક તથા કું. દિવ્યા માવલ પણ હાજર રહ્યા હતા.

(1:13 pm IST)