Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

રાજકોટ જીલ્લામાં મુસ્લિમ સમાજના મસ્જીદ -મદ્રેસા કે કબ્રસ્તાનને લગતા પ્રશ્નો હોય તો જણાવજો : અલ્લાઉદ્દીન ફોગ

જસદણ, તા.૧૪ :  રાજકોટ જીલ્લા ભાજપના નવનિયુકત લઘુમતી મોર્ચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગ મહામંત્રીઓ અસ્લમભાઇ મલેક, સલીમભાઈ પતાણીયે એક યાદીમાં જણાવેલ કે રાજકોટ જીલ્લા ભરમાં આવતા મુસ્લીમ સમાજના મસ્જીદ-મદ્રાસા કે કબ્રસ્તાનને લગતા પ્રશ્નો તેમજ મુસ્લીમ સમાજના સામાજીક પ્રશ્નો હોય તો અમોને જણાવજો સમાજના આ પ્રશ્નો અંગે અમો જાગૃત રહેસુ વધુમાં ત્રણેય આગેવાનોએ જણાવેલ કે રાજકોટ જીલ્લા ભાજપ સંગઠનના સહયોગથી અમો આપણા સમાજના પ્રશ્નો અંગે સ્થાનીક સમાજ ના આગેવાનો સાથે મળી તેના હલ માટે પ્રયત્નો કરીશુ.

રાજકોટ જીલ્લામાં ભાજપ સરકાર દ્વારા અને ભાજપ સંગઠન દ્વારા જે વિકાસના કામો થઈ રહીંયાં છે તેના ભાગ રૂપે આગામી દિવસોમાં આપણાં મુસ્લીમ વિસ્તારોમાં પણ સરકારની વધુને વધુ ગ્રાન્ટનો લાભ મળે અને વિકાસ થાય તે અંગેના પ્રયત્નો કરીશુ ત્યારે મુસ્લીમ સમાજના આ અંગેના પ્રશ્નો હોય તો અમારો સંપર્ક કરજો અમો લઘુમતી મોર્ચાના હોદેદારો આપની સાથે રહી યોગ્ય નિરાકરણ માટે પ્રયત્નો કરીશુ કામયાબી તરફ આગળ વધી ઉકેલ માટે પ્રયત્નો કરશુ તેવું એક યાદીમાં જણાવેલ છે.

(11:58 am IST)