Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

વઢવાણમાં અગનજ્વાળાએ રશીદાબેન ચૌહાણનો ભોગ લીધોઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૫: સુરેન્દ્રનગરના વઢવાણ૪માં દાઝી જતાં સિપાહી મહિલાનું મોત નિપજ્યું છે. આવતી કાલે ઇદ છે ત્યારે જ આ બનાવ બનતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

વઢવાણ જીઆઇડીસીમાં મારૂતિના શો રૂમ પાછળ રહેતાં રશીદાબેન લિયાકતભાઇ ચૌહાણ (ઉ.૪૦) નામના મહિલા રાત્રે દસેક વાગ્યે દાઝી જતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે ખસેડાયા હતાં. પરંતુ વહેલી સવારે તેનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએઅસાઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચૌહાણે વઢવાણ પોલીસને જાણ કરી હતી.

રાત્રે પાણી ગરમ કરતી વખતે અકસ્માતે દાઝી ગયાનું પોલીસની પ્રાથમિક પુછતાછમાં જણાવાયું છે. મૃતકના પતિ લિયાકતભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં પાંચ વર્ષનો એક પુત્ર છે.

(2:35 pm IST)