Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

જામનગરના નવનિયુકત મેયર હસમુખભાઇ જેઠવાનું નિર્વિવાદીત વ્યકિતત્વઃ અત્યાર સુધીમાં એક પણ ચુંટણી હાર્યા નથી

મનોજભાઇ અનડકટના જુનીયર તરીકે કાર્યરત

જામનગર , તા., ૧પઃ મહાનગર પાલીકામાં ભાજપના મેયર તરીકે હસમુખભાઇ જેઠવાની વરણી કરવામાં આવી છે. હસમુખભાઇ જેઠવા નિર્વિવાદીત વ્યકિત છે અને તેઓ અત્યાર સુધીમાં કોર્પોરેશનની એક પણ ચુંટણી હાર્યા નથી.

૧૯૯પમાં હસમુખભાઇ જેઠવાને એડવોકેટ તરીકે સનદ મળ્યા બાદ તેઓ હાલમાં ગુજરાત બાર એસોસીએશનના પુર્વ ચેરમેન અને જાણીતા એડવોકેટ મનોજભાઇ અનડકટના જુનીયર તરીકે કાર્યરત છે.

૧૯૯૦ થી અત્યાર સુધી કોર્પોરેશનની ચુંટણી તેઓ લડયા છે. પરંતુ તેઓને કયારેય પરાજયનો સ્વાદ ચાખવા મળ્યો નથી.લોકોની સેવાને મહત્વ આપવા માટે તત્પર રહેતા હસમુખભાઇ જેઠવાને દરેક વખતે વિજય મળ્યો છે.

હસમુખભાઇ જેઠવા મહાનગરમાં પુર્વ મેયર તરીકે થોડો સમય કાર્યરત રહી ચુકયા છે. તેમજ સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય તરીકે પણ તેઓએ સેવા આપી છે.

(1:14 pm IST)