Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

વઢવાણના માળોદ ગામે ધારાસભ્‍ય ધનજીભાઇ પટેલ હસ્‍તે શાળા પ્રવેશ થયો

સુરેન્‍દ્રનગર તા. ૧૫ : સમગ્ર રાજયમાં શરૂ થયેલા શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત વઢવાણ તાલુકાના માળોદ ખાતે વઢવાણ વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી ધનજીભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્‍યએ જણાવ્‍યું હતું કે  શાળા પ્રવેશોત્‍સવના કારણે રાજયભરની શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન થાય તેવી રાજય સરકારની નેમ છે. તેમણે વધુમાં રાજયનું કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા પ્રયાસો રાજય સરકાર દ્વારા હાથ ધરાયા છે. તેમ જણાવ્‍યું હતું.

આ પ્રસંગે બી.આર.સી. કોર્ડીનેટરશ્રી નિલેશભાઇ, સરપંચશ્રી અશોકભાઇ પરમાર આચાર્યશ્રી શિક્ષકગણ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતાં.

(12:57 pm IST)