Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ટંકારામાં મહેતા પરિવારના માતાજીના મઢે રવિવારે નવચંડી હવન - નવકારશી

રાજકોટ :મુંબઇના જાણીતા જૈન શ્રેષ્ઠી સ્વાતંત્રય સેનાની સ્વ. મુળશંકર ગંગારામ મહેતા, સ્વ. ભાનુબેન મુળશંકર મહેતા, સ્વ. ધર્મિષ્ઠાબેન મહેન્દ્રભાઇ મહેતાના સ્મરર્ણો ટંકારા ખાતે સમગ્ર મહેતા  (મકનાની) પરિવારના કુળદેવી માતાજીના મઢ તેમજ બહાર ગામથી આવનાર સ્વજનોના ઉતારા માટે નવિન વિશ્રામ ગૃહની અનાવરણ વિધિ તેમજ કુળદેવી શ્રી અંબે માતાનો નવચંડી હવન તેમજ સુરધન દાદાનો વિષ્ણુ હવન તા. ૧૭ ના રવિવારે યોજેલ છે. હવન સવારે ૭ વાગ્યે પ્રારંભ થશે અને નવકાશી સવારે ૭.૩૦ થી ૮.૩૦ રાખેલ છે. બીડુ બપોરે ૨.૩૦ કલાકે રાખેલ છે. જાણીતા સ્વાતંત્ર્ય સેનાની સ્વ. મુળશંકર ગંગારામ મહેતાના પરિવાર મુંબઇ જૈન શ્રેષ્ઠી મહેન્દ્રભાઇ, કિર્તીભાઇ, જયંતભાઇ, પુત્રવધુ દક્ષાબેન, કલ્પનાબે, રીટાબેન અને બહેન મધુબાળાબેન મહેતા પરિવારે અનુરકરણીય પગલુ ભરી સમાજને નવો રાહ ચિંધેલ છે. પૂજનવિધી બાદ પ્રસાદની વ્યવસ્થા સોની જ્ઞાતિની વાડી, જૈન દેરાસર પાસે રાખેલ છે. રાજેન્દ્રભાઇ રતીલાલ મહેતા, હિરેનભાઇ રાજેન્દ્રભાઇ મહેતા, બ્રિજેશભાઇ રાજેન્દ્રભાઇ મહેતા સહપરિવારે લાભ લીધો છે. બહારગામથી આવનાર સ્વજનો માટે ઉતરવાની અને રહેવાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આ માટે જયેશભાઇ મહેતા (મો.૯૮૩૦૨ ૭૨૦૦૧), મહેન્દ્રભાઇ મહેતા (મો.૯૮૨૧૨ ૫૫૩૫૪), જીજ્ઞેશભાઇ મહેતા (મો.૯૩૨૨૨ ૭૬૪૬૦), હિરેનભાઇ મહેતા (મો.૯૮૨૫૦ ૧૪૫૮૪) નો સંપર્ક કરવા જયેશ સંઘાણી (મો.૯૪૨૮૨ ૦૦૫૨૦) ની યાદીમાં જણાવાયુ છે.

(11:42 am IST)