Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

અમરેલી સિવિલ હોસ્પિટલમાં રકતદાન કેમ્પ

 તા.૧૪મી જુનના રોજ વિશ્વ રકત દિનની ઉજવણી કરવામાં આવે છે. અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. અમરેલી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યુવા સદસ્યોએ રકતદાન કરવા માટે કતાર લગાવી હતી. તેમણે સામાજિક સેવાકાર્ય કરી અન્ય યુવાનોને પ્રેરણા આપી હતી. આ પ્રસંગે સિવિલ સર્જનશ્રી ડો. રાઠોડે કહ્યું કે, રકતદાન એ અતિ ઉપયોગી સમાજ સેવા છે. આજના દિવસે સ્વૈચ્છિક દાતાશ્રીઓ તેમજ સિવિલ હોસ્પિટલના અધિકારી-કર્મચારીશ્રીઓ પણ રકતદાન કરવાના છે. રકતદાન કેમ્પમાં સિવિલ હોસ્પિટલ તેમજ આરોગ્ય શાખાના ફરજ પરના અધિકારી-કર્મચારીશ્રીઓએ ઉપસ્થિત રહી સમગ્ર કામગીરી સુપેરે બજાવી હતી. તસ્વીરમાં રકતદાન માટે ઉપસ્થિત યુવાનો તથા નીચેની તસ્વીરમાં રકતદાન કરેલ દાતા નજરે પડે છે.

(11:42 am IST)