Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

૩ કલાકમાં ૩ કરોડ

સાવરકુંડલાની હોસ્પિટલના લાભાર્થે થયેલા સાંઇરામ દવેના ડાયરામાં સુરતીઓએ આટલો ફાળો આપ્યો

મુંબઇ તા.૧૫:સાવરકુંડલા વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની સેવાનાં સાડાત્રણ વર્ષ પુર્ણ થતાં સુરતના સરથાણામાં આવેલા હરેકૃષ્ણ કેમ્પસમાં સોવારે રાત્રે લોકસાહિત્યકાર સાંઇરામ દવેનો એક લોકડાયરો રાખવામાં આવ્યો હતો. આ ડાયરા દરમ્યાન આવેલા આમંત્રિતોને આર્થિક મદદની ટહેલ નાખવામાં આવતાં માત્ર ત્રણ કલાકના આ ડાયરામાં બાવીસ દાતાઓએ ૧૩.૫૧ લાખ અને ૧૨ દાતાઓએ એકેક લાખ રૂપિયાનું દાન જાહેર કરતાં કુલ રૂપિયા ૩,૦૯,૨૨૦,૦૦ રૂપિયા એકત્રિત થયા હતાં.

સાંઇરામ દવેએ કહયું હતું કે ડાયરામાં લક્ષ્મી ઊડે એવું કરવાને બદલે સોૈકોઇ પ્રેમથી પોતાની સહાય નોંધાવે એવી ઇચ્છા  આયોજકોની હોવાથી એક જ વખત માઇક પરથી જાહેર કર્યા પછી દાતાઓએ આ રીતે રસ દેખાડયો જે ખુબ સારી વાત કહેવાય.

લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરમાં દર્ર્દીઓઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે, જેમાં દર્દીના સગાને પણ જમવાનું નિઃશુલ્ક આપવામાં આવે છે.

(9:50 am IST)