Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

તળાજાના આગેવાનોએ ભાજપ કાર્યકર્તાઓએ મોદી શાસનના ગાણા ગાયા

ભાવનગર તા.૧૫:તળાજા નગરના વિવિધ ક્ષેત્રના આગેવાનો, નામાંકિત લોકો સમક્ષ શહેર-તાલુકા ભાજપ-સંગઠન દ્વારા જઇને મોદીના ચાર વર્ષના શાસનનો પ્રચાર કરવામાં આવી રહયો છે. કહી શકાય કે લોકસભાની ચૂ઼ંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સામાપક્ષે કોંગ્રેસ પાસે તળાજા તાલુકાના જ અનેક પ્રશ્નો એવા છે જેનો મજબુત રીતે ભાજપની નિષ્ફળતાને લઇ વિરોધ કરી શકાય તેમ છે. જેમાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે.

ભાજપ સંગઠન દ્વારા ૨૦૧૯ની ચૂંટણીને લઇ પ્રચાર-પ્રસારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેટલાક જગજાહેર આંતરિક વિખવાદ વચ્ચે પણ તળાજા શહેર-તાલુકા ભાજપ સંગઠન પક્ષના આદેશ પ્રમાણે કાર્યક્રમો કરી રહયા છે.

જેને લઇ તળાજા નગરના આગેવાન વેપારીઓ નગર અગ્રણીઓ સમક્ષ મોદી સરકારના ચાર વર્ષના ગુણગાન ગાતી પત્રીકા સહિતને લઇ પહોંચી ગયા હતા. પાર્ટીના એજન્ડા મુજબ પ્રચાર કર્યો હતો.

સામાપક્ષે તળાજા વિસ્તારના અનેક પ્રશ્નો એવા છે કે જે મુદાઓ ઉઠાવી કોંગ્રેસ ભાજપની વિકાસ ગાથાની વાતને લપડાક મારી શકે તેમ છે. પરંતુ સ્થાનિક લેવલે કોંગ્રેસ સંગઠન ભાજપ વિરોધના પ્રદર્શનો, કાર્યક્રમો આપવામાં નિષ્ફળ ગઇ છે તેવું રાજકીય વિશ્લેષકો ગણિત માંડી  રહયા છે.

(9:47 am IST)