Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

ખોડલધામ ખાતે નરેશભાઈ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે યૉજાયેલ બેઠક પુર્ણ.

નરેશભાઈ પટેલે જો રાજકારણમાં જૉડાવુ હોય તો એક અઠવાડીયામાં નિર્ણય કરી લેવો અન્યથા રાજકારણ માં નહી જોડાવાની જાહેરાત કરી દેવી.: હાર્દિક પટેલે પણ હાલ કોંગ્રેસમા જ રહી પક્ષમા થતી અવગણના અંગે હાઈકમાન્ડને જાણ કરવી.

   ખોડલધામ ખાતે નરેશભાઈ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે યૉજાયેલ બેઠક પુર્ણ થઇ છે, સુત્રોના જણાવ્યા મુજબ આજની બેઠકમા નક્કી થયા મુજબ નરેશભાઈ પટેલે જો રાજકારણમાં જૉડાવુ હોય તો એક અઠવાડીયામાં નિર્ણય કરી લેવો અન્યથા રાજકારણ માં નહી જોડાવાની જાહેરાત કરી દેવી.
હાર્દિક પટેલે પણ હાલ કોંગ્રેસમા જ રહી પક્ષમા થતી અવગણના અંગે હાઈકમાન્ડને જાણ કરવી.
   સુત્રોના જણાવ્યા મુજબ હાર્દિક પટેલે નરેશભાઈને વચન આપ્યુ છે કે તમે જે પક્ષમા જોડાશો તેમા હુ તમારી સાથે જ રહીશ.                              
   આજની બેઠકમાં પાસના આગેવાન અલ્પેશ કથીરીયા અને દિનેશ બાંભણીયા પણ હાજર રહ્યા હતા.
( વિજય વસાણી દ્વારા) આટકોટ

(8:47 pm IST)