Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

કચ્છમાં નવા ૧૭૦ કેસ સાથે એકિટવ કેસ વધીને ૩૬૭૬ થયા

મોતની સંખ્યા ઘટતા અત્યારે આરએસએસ સંચાલિત અગ્નિદાહ સેવાને વિરામ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૫ : કચ્છમાં કોરોનાનો કહેર થોડે ઘણે અંશે હળવો થયો છે. સ્વસ્થ થનાર દર્દીઓ વધી રહ્યા છે. તેમાંયે હમણાં વધતાં જતાં મૃત્યુ આંકે લોકોમાં ફફડાટ સજર્યો હતો. પણ, હવે મોતની સંખ્યા પણ ઘટી છે. ભુજમાં અત્યારે આરએસએસ દ્વારા અપાતી અગ્નિસંસ્કાર સેવાને વિરામ અપાયો છે. જયારે હાલના કેસોની આંકડાકીય વાત કરીએ તો નવા ૧૭૦ કેસ સાથે સારવાર લેતાં દર્દીઓની સંખ્યા ૩૬૭૬ થઈ છે. ૧૨૬ દર્દીઓ સાજા થયા છે. તો, વધુ ૪ ના મોત સાથે કુલ મૃત્યુ પામનારાઓની સંખ્યા ૨૫૨ થઈ છે.

(12:00 pm IST)