Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

પરેશ ધાનાણી લતીપુર ગયા તો આરોગ્ય કેન્દ્રને તાળા હતા : મારૂ ગામ કોરોના મુકત કેવી રીતે બનાવશો ?

૮૦ થી વધુ લોકોના કોરોનાની સારવારમાં મોત છતા તંત્રની બેદરકારી : લલિત કગથરા

જામનગર : વિધાનસભાના વિપક્ષી નેતા જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના લતીપર મુકામે આવી પહોંચ્યા હતા જયાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા કોંગ્રેસી આગેવાનો સાથે પહોંચ્યા હતા.

ત્યારે આરોગ્ય કેન્દ્ર બંધ જોવા મળ્યું હતું આ વેળાએ ધારાસભ્ય લલિત કગથરા જણાવ્યું હતું કે લતીપર માં ૮૦થી વધુ લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે.ત્યારે રાજય સરકાર મારુ ગામ કોરોના મુકત કેવી રીતના બનાવશે? તેવા વેધક સવાલ સાથે આરોગ્ય વિભાગની બેદરકારીની આલોચના કરી હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર :  કિંજલ કારસરીયા, જામનગર)

(11:56 am IST)