Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ભાવનગરમા કોરોનાથી વધુ ત્રણના મોત

ભાવનગર, તા.૧૫: જિલ્લામા વધુ ૩૦૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૯,૧૨૧ થવા પામી છે. શહેરી વિસ્તારમાં ૧૨૮ પુરૂષ અને ૭૩ સ્ત્રી મળી કુલ ૨૦૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૧૯, ઘોઘા તાલુકામાં ૧૦, તળાજા તાલુકામાં ૨૭, મહુવા તાલુકામાં ૬, સિહોર તાલુકાઓમાં ૩૬, પાલીતાણા તાલુકામાં ૪, વલ્લભીપુર તાલુકામાં ૧ તેમજ જેસર તાલુકામાં ૪ કેસ મળી કુલ ૧૦૭ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

શહેર ખાતે રહેતા ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી કુલ ૩ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

મહાનગરપાલિકા વિસ્તારમા ૩૩૩ અને તાલુકાઓમાં ૬૮ કેસ મળી કુલ ૪૦૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૯,૧૨૧ કેસ પૈકી હાલ ૪,૨૮૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૪૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:47 am IST)