Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ભાવનગર નાગરીક સહકારી બેન્કના પૂર્વ ચેરમેન-ઉદ્યોગપતિ નિરંજનભાઇ દવેનો કોરોનાએ ભોગ લીધો

ભાવનગર તા.૧પ : ભાવનગર નાગરીક સહકારી બેંકના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગકાર શ્રી નિરંજનભાઇ (નિરૂભાઇ) દવે ઉ.આ.૭૦નું કાલે બપોરે કોરોનાની સારવાર દરમ્યાન એચ.સી.જી. હોસ્પીટલમાં નિધન થયું હતું પરિવારમાં બેદકરી એક પુત્ર અને પત્નિ હતા.

નાગરીક બેંક પર જયારે મુશ્કેલી આવી પડેલ ત્યારે તેના મક્કમ સાથ સહકાર અને કુનેહ પૂર્વક જોડાયેલા હતા. ૧૯૮૬ થી બેંકમાં કાર્યરત હતા જીલ્લા બેંક એસો.ના ચેરમેન હતા ગુજરાત સહકારી બેંક ફેડરેશનમાં ડાયરેકટર રહી ચુકેલા છે.

અહીંની એકસલ ઇન્ડસ્ટ્રીઝમાં ઓફીસર તરીકે કામ કરેલ અને કર્મચારીઓના સંગઠન અને હીત માટે કાર્ય કરેલ. ઓકઝોન કેમિકલ નામની ફેકટરી ચલાવતા હતા.

નિરૂભાઇનો સરળ અને સાદ્દગી ભર્યા જીવન વ્યવહાર હતો. લાગણીશીલ વ્યકિત તરીકે તે હંમેશા યાદ રહેશે. સહકારી બેંક ક્ષેત્રે તેનુ અનુલ્ય પ્રદાન હતુ઼.

(11:46 am IST)